અમદાવાદ જીલ્લો

અમદાવાદ જીલ્લો
અમદાવાદ જીલ્લાની આજુબાજુ ગાંધીનગર, ખેડા,મહેસાણા.સુરેન્દ્રનગર,પાટણ, અને મોરબી જીલ્લાઓ આવેલા છે.
ક્ષેત્રફળ :- ૮,૦૮૬ ચો કિમી
સ્થાપના : ૧૯૬૦
વિધાનસભાની કુલ સીટો :- ૨૧ {વિરમગામ,સાણંદ,ઘાટલોડીયા,વેજલપુર,વટવા,એલીસબ્રીજ,નારણપુરા, નિકોલ,નરોડા,ઠક્કરબાપાનગર,બાપુનગર,અમરાઈવાડી,દરિયાપુર-કાલુપુર,જમાલપુર-ખાડીયા, મણીનગર, દાણીલીમડા (એસ.સી), ધંધુકા,દસકોઈ,અસારવા(એસ.સી) , સાબરમતી અને ધોળકા }
વસ્તી :- ૭૦,૪૫,૩૧૩ (૨૦૧૧ મુજબ )
અક્ષર જ્ઞાન :- ૮૫.૩૧%
સ્ત્રી પુરૂષ પ્રમાણ:-૯૦૪ (દર હજારે)
મુખ્ય મથક :- અમદાવાદ
તાલુકાઓ :- 10 (1)અમદાવાદ, (2) દસ્કોઈ, (3) બાવળા, (4) સાણંદ , (5) ધોળકા, (6)ધંધુકા, (7)બોપલ, (8)દેત્રોજ, (9)માંડલ, (10)વિરમગામ
તાલુકા પંચાયતની કુલ સીટો :- ૯ (બેઠકો-૧૭૬) ( ભાજપ-૮૧, કોંગ્રેસ-૭૭ અન્ય-૩ )(ધંધુકા- ૧૬, બાવળા-૧૮, વિરમનગર-૨૦, ધોલેરા-૧૬, દસકોઇ- ૨૮,દેત્રોજ-૧૬, ઘોળકા-૨૨, સાણંદ-૨૪ અને માંડલ-૧૬)
જિલ્લા પંચાયતની કુલ સીટો :- ૩૪ ( ભાજપ-૧૬, કોંગ્રેસ-૧૮ અન્ય-૦ )  (ધંધુકા- ૨, બાવળા-૪, વિરમનગર-૪, ધોલેરા-૨, દસકોઇ- ૭ ,દેત્રોજ-૨, ઘોળકા-૫ સાણંદ-૬ અને માંડલ-૨)
જિલ્લા પંચાયત પ્રમુખ :- પુષ્પાબેન ડાભી
જિલ્લા પંચાયત ઉપપ્રમુખ :- અમરસિંહ સોલંકી
નગરપાલિકા સંખ્યા અને વોર્ડ :- ૩( ૨૭) (કુલ બેઠકો-૧૦૮) ( ભાજપ-૭૮, કોંગ્રેસ-૨૬, અન્ય-૪ )( બોપલ-ઘુમા-૯(૩૬) ( ભાજપ-૩૫, કોંગ્રેસ-૦૧ અન્ય-૦ ) ,ધોળકા-૯(૩૬) ( ભાજપ-૨૬, કોંગ્રેસ-૦૯, અન્ય-૧ )  અને વિરમગામ-૯(૩૬) ( ભાજપ-૧૭, કોંગ્રેસ-૧૬,અન્ય-૩ )
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કુલસીટો :- ૪૮(કુલ સભ્યો :-૧૯૨)( ભાજપ-૧૪૨,કોંગ્રેસ-૪૯,અન્ય-૧)
અમદાવાદના મેયર :- ગૌતમ શાહ
અમદાવાદના ડેપ્યુટી મેયર :- પ્રમોદાસુતરીયા
અમદાવાદ મ્યુનિ.કમિશનર :- શ્રી ડી. થારા
ગામડાંઓ :- ૫૫૧
હવાઈમથક :- અમદાવાદ (આંતરરાષ્ટ્રીય) સરદાર પટેલ હવાઈમથક,અમદાવાદ
નદીઓ:- સાબરમતી. નીલકા
પાક:-કપાસ ,ઘઉં ,ડાંગર આ જીલ્લાના મુખ્ય પાકો છે
અગત્યના શહેરો :- ધોળકા ,વિરગામ ધંધુકા ,વૌઠા ,લોથલ ,સાણંદ
સ્થળો :- હડપ્પા સંસ્કૃતિના અવશેષો(લોથલ ),સીદીસૈયદની જાળી ,ઝૂલતા મિનારા ,હઠીસિંહના દેરા ,કાંકરિયાતળાવ ,ભાવનિર્ઝર ,ગાંધી આશ્રમ ,સત્યાગ્રહ આશ્રમ , ભદ્રનો કિલ્લો(૧૪૧૧)(, ત્રણ દરવાજાદાદા હરિની વાવ ,ગુજરાત વિદ્યાપીઠ (અમદાવાદ-૧૯૪૯),સાબરમતી રીવરફન્ટ(અમદાવાદ), નળસરોવર (વિરમગામ),સાળંગપુર હનુમાન મંદિર,બુટભવાની મંદિર,ગણેશપુરાનું ગણપતિનું મંદિર, સરદાર પટેલ સ્મારક ભવન (૧૯૮૦)
 વિશેષ નોંધ :

ભારતનું માન્ચેસ્ટર ગણાતું અમદાવાદની સ્થાપના ઈ.સ.૧૪૧૧માંએહમદશાહ બેગડાએ કરી હતી.
અમદાવાદ સાબરમતીની કિનારે વસેલું ગુજરાતનું સૌથી મોટું શહેર છે.
ગુજરાત રાજ્યનું પ્રાચીન પાટનગર અમદાવાદ ( ૧૯૬૦ થી ૧૯૭૦) હતું.
અમદાવાદનું પ્રાચીન નામ કર્ણાવતીનગર હતું.
અમદાવાદમાં આવેલી જામા મસ્જિદ બાદશાહ અહમદશાહ (ઈ.સ.૧૪૨૩) બંધાવી હતી.
ગુજરાતનું સૌપ્રથમ ક્લોથ માર્કેટ અમદાવાદમાં સ્થાપાયું હતું.
અમદાવાદમાં આવેલી આઈ.આઈ.એમ સંસ્થા એશિયામાં પ્રથમ ક્રમે આવે છે.
ભારતમાં વસ્તીની દ્રષ્ટીએ અમદાવાદ સાતમાં નંબરનું અને ગુજરાતમાં પ્રથમ શહેર છે .
ઈ.સ.૧૯૪૭માં વેધશાળા ની સ્થાપના અમદાવાદમાં થઇ હતી.
ગૂજરાત વિધાપીઠને ડીમ્ડ યુનિવર્સિટીનો દરજ્જો ઈ.સ.૧૯૬૩માં મળ્યો હતો.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન( એ.એમ.સી) ની સ્થાપના ૧૯૫૦માં થઇ હતી.
અમદાવાદના પ્રથમ મેયર ચીનુભાઈ બેરોનેટ હતા.
હડપ્પા સંસ્કૃતિ બંદર ભોગાવો નદીને કાંઠે લોથલ બંદરે આવેલ છે.
ગુજરાતનું સૌથી મોટું પક્ષી અભયારણ્ય નળ સરોવર આ જિલ્લામાં આવેલ છે.
ધોળકા તાલુકાના વૌઠા સાત નદીઓનું સંગમસ્થાન થાય છે.ત્યાં પશુઓનો મેળો (વૌઠાનો મેળો) પ્રચલિત છે.
સાબરમતી નદીના કિનારે દધીચિ રૂષિનો આશ્રમ આવેલો છે.
શેખઅહેમદ ખટુ ગંજબક્ષ નામના મુસ્લિમ સંતના હાથે અમદાવાદ શહેરનો પાયો નખાયો.
ઈ .સ .1411 માંનખાયો હતો સ્વતંત્રતા સમયે ગાંધીજીની કર્મભુમિ હતું .
મહાભારત સમયનું વિરાટનગર મનાતું ધોળકા તેના જામફળ અને દાડમના બગીચાઓ માટે જાણીતું છે
‘ અટીરા’ ( અમદાવાદ ટેક્સટાઈલ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ રિસર્ચ એસોસીએશન) ( કાપડ અંગેનું સંશોધન) સંસ્થા અમદાવાદમાં આવેલી છે.
ભારતભરમાં આર્કિટેક્ચરના અભ્યાસ માટે જાણીતી સંસ્થા ‘ CEPT ‘ ( સેન્ટર ફોર એન્વાયરમેન્ટ પ્લાનિંગ એન્ડ ટેકનોલોજી સ્થાપના-૧૯૬૩) અમદાવાદમાં આવેલી છે.
અવકાશ સંશોધન ક્ષેત્રે કામ કરતી સંસ્થા સ્પેશ એપ્લીકેશન સેન્ટર (SAC) અમદાવાદમાં આવેલી છે.
Next Post Previous Post
No Comment
Add Comment
comment url