ગીર સોમનાથ જિલ્લો || Gir Somnath District
ઇતિહાસ
ગીર સોમનાથ જિલ્લો અગાઉ જૂનાગઢ જિલ્લાનો ભાગ હતો. ગીર સોમનાથ જિલ્લો એશિયાઇ સિંહો અને સોમનાથ મંદિર માટે પ્રખ્યાત છે.
સ્થાપના
15મી ઓગસ્ટ 2013 ના રોજ જૂનાગઢ જીલ્લામાંથી થોડો ભાગ લઇ નવા ગીર સોમનાથ જિલ્લાની નવરચના કરવામાં આવી હતી.
મુખ્ય મથક
વેરાવળ
વસ્તી(૨૦૧૧ મુજબ)
કુલ વસ્તી : 12,10,749
સાક્ષરતા દર
76.49%
ક્ષેત્રફળ
3775 ચો.કિમી
સરહદે આવેલા જિલ્લાઓ
- જૂનાગઢ
- અમરેલી
તાલુકાઓ
ગીર સોમનાથ જિલ્લામાં 6 તાલુકાઓ આવેલા છે.
- વેરાવળ
- ઉના
- કોડીનાર
- સુત્રાપાડ
- તલાલા
- ગીર ગઢડા
જોવાલાયક સ્થળો
- સોમનાથ મંદિર
- ભાલકા મંદિર
- ભગવાન શ્રી કૃષ્ણની મોક્ષભૂમિ
- ત્રિવેણી સંગમ
- તુલસીશ્યામ મંદિર
ગામડાંઓ
ગીર સોમનાથ જિલ્લામાં કુલ 345 ગામડાઓ આવેલા છે.
બંદરો
- વેરાવળ
- કોડીનાર
- ઉના
જિલ્લામાંથી પસાર થતી નદીઓ
- હિરણ
- સરસ્વતી
- સિંગવડો
- મછુન્દ્રી
મુખ્ય પાકો
- મગફળી
- ઘઉં
- કપાસ
- શેરડી
- નારિયેળ
- પ્રખ્યાત કેસર કેરી
મુખ્ય ઉદ્યોગો
- સિમેન્ટ ઉદ્યોગ
- મત્સય ઉદ્યોગ
- કાપડ ઉદ્યોગ
જિલ્લા વિશે આ પણ જાણો
- ભગવાન શિવના ૧૨ પવિત્ર જ્યોતિર્લિંગમાનું એક જ્યોતિર્લિગ સોમનાથમાં આવેલ છે.
- કેસરી ગીર સિંહોનું એકમાત્ર રહેઠાણ ગીર અભ્યારણ ગીર સોમનાથ જિલ્લામાં આવેલ છે.
- ઉના ગુજરાત રાજ્યમાં સૌથી મોટોચૂનાનો સપ્લાયર છે.